શું તમે થાયરોઇડ થી છો પરેશાન? તો જાણો તેના લક્ષણો અને ઉપાયો.

 

           થાયરોઇડ એ ગળા ના ભાગ માં આવેલ એક પતંગિયા આકાર ની નાની ગ્રંથિ છે. જે આપણા શરીર માં મેટાબોલિઝમ ને નિયંત્રિત કરે છે  

            થાયરોઇડ બે પ્રકાર નાં હોય છે.    

  ૧.હાઇપોથાયરોડિઝમ: આમા  જ્યારે ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ બનાવી શકતી નથી. અને શરીરની પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે.

   ૨.હાઈપરથાયરોડિઝમ : આમા જ્યારે ગ્રંથિ જરૂર કરતા વધારે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. અને  શરીરની પ્રક્રિયાઓ ઝડપી બની જાય છે.

           હવે જાણો થાયરોઇડ થવા ના મુખ્ય કારણો 

   • રોજિંદા ખોરાકમાં આયોડીન ની કમી ,આયોડીન આ હોર્મોન્સ બનાવવા માટે જરૂરી છે.

   • આધુનિક જીવનશૈલી અને માનસિક તણાવ પણ થાયરોઇડ માટે જવાબદાર છે.

   • પરિવાર ના કોઈ સભ્ય ને થાયરોઇડ હોય તો તે વારસાગત પણ ઉતરી શકે છે. 

   • વિટામિન  D ની ખામી પણ થાયરોઇડ નુ કારણ બની શકે છે. તેથી દરરોજ ૧૦ થી ૧૫ મિનિટ  સૂર્યપ્રકાશ માં બેસવું.

    • પ્લાસ્ટિકના વાસણોમાં ગરમ ખોરાક લેવાનું ટાળો, કારણ કે તે  હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે.

       થાયરોઇડ થી બચવા અને તેને નિયત્રણ માં રાખવા શુ કરવું જોઈએ. 

    • હમેંશા રસોઈ કરવા માટે આયોડીન નમક જ વાપરવું જોઈએ. 

    • નિયમિત યોગ અને કસરત કરવી, ૨૦ થી ૩૦ મિનિટ ઝડપ થી ચાલવું .

    • તણાવ મુક્ત રહો,પૂરતી ઊંઘ લો અને મેડીટેશન કરો.   

    • ખાવા માં તાજા ફળો અને લીલા શાકભાજી નો ઉપયોગ વધુ કરો. 

    • ઉપર મુજબ કોઇ લક્ષણ દેખાય તો બ્લડ ટેસ્ટ કરાવવો.

      થાયરોઇડ માં કેવા પ્રકાર નો આહાર લેવો જોઈએ. 

     • સફરજન,નારંગી અને જામફળ જેવા ફળો વિટામિન અને ફાઈબરથી ભરપૂર હોવાથી થાયરોઇડના દર્દીઓ માટે ઉત્તમ છે.

      • મગ, અડદ અને ચણા જેવા અનાજમાં ફાઈબર અને વિટામિન-B હોય છે, જે શરીરને શક્તિ આપે છે અને થાયરોઇડ માં ફાયદાકારક છે. 

     • ૨ થી ૩ બદામ રાત્રે પલાળી અને સવાર માં ખાવી પણ ફાયદાકારક છે. 

     • થાયરોઇડ માં સૌથી વધુ ફાયદા આખા ધાણા થી થાય છે. ૧ ચમચી આખા ધાણા ને ૧ ગ્લાસ પાણી માં નાખી ને રાત્રે પલાળી અને સવારે ઉકાળી ને (પાણી અડધું ત્યા સુધી ઉકાળવું ) નરણા કોઠે પીવું. 

          થાયરોઇડ માં આવા પ્રકાર નો આહાર લેવાનું ટાળવો.

      • બિસ્કિટ, બ્રેડ, પીઝા જે વા મેંદા માંથી બનતા ખોરાક, વધારે પડતી મિઠાઈ અને ખાંડ વાળી વસ્તુ થી દૂર રહેવું. 

      • કોબીજ, ફ્લાવર, બ્રોકોલી અને પાલકને કાચા ન ખાવા. જો ખાવા હોય તો તેને  રાંધીને અથવા બાફીને જ લેવા જોઇએ.

     • વધુ પડતી ચા, કોફી અથવા સોડા પીવા થી હોર્મોન્સ નુ સ્તર બગડી શકે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે. 

     • સોયા ના ઉત્પાદનો નો ઉપયોગ ટાળવો જોઈએ, જેવા કે સોયા મિલ્ક ,સોયા વડી અને સોયા ચિપ્સ વગેરે ન ખાવા. 

      •  જે ખોરાકમાં પ્રિઝર્વેટિવ્સ હોય તેવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. ખાસ કરીને પેકેટ ફૂડ , ચિપ્સ વગેરે. 

          થાયરોઇડ એ કોઇ મોટી બીમારી નથી, આપણે આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરીએ, પૌષ્ટિક આહાર લઈએ અને તણાવમુક્ત રહીએ, તો થાયરોઇડને હરાવવું અશક્ય નથી. 

        Disclaimer :"આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, કોઈપણ ગંભીર સમસ્યામાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે."

                   


ટિપ્પણીઓ