ઉનાળા માં વરસતી 'લૂ'માં કેવી રીતે રાખવી નાના બાળકો ની સંભાળ?

 

ઉનાળા ની લૂ માં કેવી રીતે રાખશો બાળકો ની સંભાળ 

       ઉનાળા માં પડતી ભયંકર ગરમી મોટા લોકો તો સહન કરી લે છે. પણ નાના બાળકો સહન કરી શકતા નથી. ઉનાળામાં નાના બાળકોને લૂ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે જાણીશું "હેલ્થ મંત્ર ડેઈલી" બ્લોગમાં ૦ થી ૨ વર્ષ સુધી ના બાળકોની ઉનાળાની વરસતી લૂ માં કઈ રીતે સંભાળ રાખવી.ખાસ કરીને ૦ થી ૨ વર્ષના બાળકો, જેઓ પોતાની તકલીફ બોલીને જણાવી પણ શકતા નથી, તેથી તેમની ખાસ દેખરેખ રાખવી ખુબ જ  જરૂરી છે.

• ઉનાળામાં નાના બાળકને થોડી થોડી વારે પાણી આપવું ખૂબ જ જરૂરી છે. પણ જો બાળક ૬ મહિનાથી નાનુ હોય તો, તેને માતાના દૂધ સિવાય બીજુ કઇ આપવું ના જોઈએ .કારણ કે માતાના દૂધમાં ૮૦% જેટલું પાણી હોય છે.જે બાળકની તરસ છીપાવવા માટે પૂરતું હોય છે.

• જો બાળક છ મહિનાથી ઉપરનું હોય તો,તેની માતાના દૂધ સાથે થોડી થોડી વારે પાણી પણ આપવું  જોઈએ. નાના બાળકને ઉકાળી અને ઠંડુ કરેલું પાણી પીવડાવવુ વધુ સારું રહેશે. બાળકને ફળોનો રસ પીવડાવો.ઘરે બનાવેલા જ્યુસ માં ખાંડ હોતી નથી, તેથી તે બાળક માટે સૌથી શ્રેષ્ઠ છે.

બે વર્ષ સુધીના બાળકોને બજારમાં મળતા કોલ્ડ્રીંક્સ અને પેકેટ જ્યુશ અને વધારે ખાંડ વાળા શરબત આપવા હિતાવહ નથી.


Baby care and Summer tips 
                                      

• ઉનાળામાં જો ગરમી વધારે હોય તો નાના બાળકને દિવસમાં ૨ વખત નવડાવવું જોઈએ . તડકામાં બાળકને ક્યારેય ના નવડાવવુ,બાળકને નવડાવવા માટે હંમેશાં હૂંફાળું પાણી જ રાખો. પાણી ના વધારે ગરમ હોય કે ના વધારે ઠંડુ હોય.

• ઉનાળામાં નાના બાળકને કપડાં પહેરાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.નાના બાળકોની સ્કીન ખૂબ જ નાજુક હોય  છે. તેથી બાળક ને હંમેશા કોટનના આછા રંગના કપડાં જ પહેરવા જોઈએ છે .ઉનાળા માં હંમેશા કપડાં થોડાં ખુલતા કપડા પહેરવા જોઇએ, જેથી પુરતી હવા મળી રહે  અને બાળકને પરસેવો ઓછો વળે.

• ઘણા લોકો ઉનાળામાં નાના બાળકોને ખૂબ જ વધુ પ્રમાણમાં પાઉડર લગાવે છે .તે ઉચિત નથી વધુ પડતા પાવડરના ઉપયોગ થી  ત્વચા ના છિદ્રો બંધ થઈ જાય છે. બની શકે એટલો પાવડર નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

• ઉનાળામાં બાળકને વધુ પડતુ ડાયપર પહેરાવું ના જોઈએ. અને જો બાળકને ડાયપર પહેરાવું જ હોય તો તેને ૨ થી ૩ કલાકમાં બદલી નાખવું જોઈએ. બાળક જ્યારે વધુ સમય સુધી એક જ ડાયપર માં રહે છે, ત્યારે ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. બાળકને દિવસમાં ૪ થી ૫ કલાક તો ડાયપર ફ્રી રાખવું જોઈએ.

• ઉનાળામાં બાળકના આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં બાળકને હંમેશા તાજો જ ખોરાક આપવો જોઈએ. બાળકને વધુ પડતા ફળો ખવડાવવા જોઈએ . બાળકને જ્યારે પણ ફળ આપો ત્યારે તે ધોઈને જ આપવા જોઈએ. ઉનાળામાં બાળકને ખીચડી, દહીં, બાફેલા મગ અથવા મગ નું પાણી આપવું જોઈએ.જે પચવામાં હલકો ખોરાક છે.અને પેટ ને ઠંડક આપે છે.

• ઉનાળામાં નાના બાળક સાથે વધુ પડતી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. બપોરના સમયે બહાર નીકળવાથી બાળકને લૂ લાગવાની શક્યતા ઘણી જ વધી જાય છે.જો બહાર જવાનું થાય તો તેની સુતરાઉ કપડા અને ટોપી જરૂર થી પહેરાવી.બને ત્યાં સુધી સાંજના સમયે જ બહાર નીકળવું.

• ઉનાળામાં નાના બાળકને લૂ લગવાની શક્યતા સૌથી વધુ હોય છે. જ્યારે પણ બહારથી આવો ત્યારે નાના બાળકને તરત જ ઠંડા પાણીથી નવડાવવું ન જોઇએ .બહાર તડકામાંથી આવીને તરત જ બાળક ને  ઠંડુ પાણી પણ ના પીવડાવુ.થોડીવાર તેને છાયામાં કે રૂમમાં બેસાડી શરીરનું તાપમાન સામાન્ય થાય ત્યાં રાહ જોવો . પછી તેને નવડાવો અથવા પાણી પીવડાવો આમ કરવાથી લુ લાગવાની શક્યતા ઘણી ઓછી થઈ  જાય છે.

Disclaimer : આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. બાળકને જો કોઈ પણ પ્રકારની તકલીફ અથવા કોઈ સમસ્યા જણાય તો તમારા ફેમિલી ડોક્ટર અથવા તો બાળરોગ નિષ્ણાંત ની સલાહ લેવી આવશ્યક છે.

ટિપ્પણીઓ