શું તમે પણ કેરી ખાતી વખતે રાખો છો, આટલી સાવધાની?
![]() |
| શું તમે પણ રાખો છો, કેરી ખાતી વખતે સાવધાની |
ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ કેરી પણ આવી ગઈ છે. આજે જાણીશું કેરી વિશે મૂંઝવતા પ્રશ્નોના જવાબો. કેરી ને કેટલા સમય સુધી પાણી માં પલાળી ને રાખવી ? કેમ ? અને કેરી ખાવા ના ફાયદા.
• કેરીએ વિટામિન્સ અને મિનરલ્સ નો ખૂબ મોટો ખજાનો છે .એક કપ કેરીમાંથી આપણને લગભગ ૬૦ % જેટલું 'વિટામિન c'મળી રહે છે. કેરીમાં વિટામિન A, વિટામિન E, વિટામિન K, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ બધા પોષક તત્વો આપણા શરીરના જુદા-જુદા અંગોને કાર્યરત રાખવા માટે જરૂરી હોય છે.
• કેરી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. કેરીમાં રહેલા વિટામિન Aઅને C આપણી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. આપણા શરીરને ચેપી રોગો થી રક્ષણ આપે છે .અને કોષોને થતું નુકસાન અટકાવે છે.
• કેરીમાં 'વિટામીન A'ખૂબ સારા પ્રમાણમાં હોય છે .જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને કેરીમાં રહેલું 'વિટામિન C'એ ત્વચા માટે વરદાન સમાન હોય છે .તે ચહેરા પરની કરચલીઓ હટાવે છે,અને ત્વચામાં કુદરતી ચમક લાવે છે .
• એવી પણ લોકમાન્યતા છે. કે કેરી ખાવાથી પેટ ખરાબ થાય છે .પણ જો કેરી મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો પાચન સુધારે છે. કેરીમાં રહેલા ફાઈબરથી જૂની કબજિયાતમાં પણ ઘણા ફાયદો થાય છે.
![]() |
| કેરી ખાતા પહેલા ૨ કલાક પલાળવી જોઈએ |




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો